<?xml version="1.0" encoding="UTF-8"?> <chapter> <ch0> આદુનો રસ અને તુલસીનો રસ સુંઘવાથી અને નાકમાં ટીપા નાખવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે. દ્રાક્ષ અને ધાણાને ઠંડાપાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે. </ch0> <ch1> ત્રણ દિવસનો વાસી પોશાખ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે. (ત્રણ ખાટલી રાખી રોજ એક ખાટલીમાં પોશાખ બરતા રહેવું) ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે. </ch1> <ch2> લવીંગના તેલના બે ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી કોલેરા મટે છે. ફુદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે. </ch2> <ch3> નસકોરી ફુટે ત્યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમજ ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે. નસકોરી ફુટે ત્યારે બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન ઉપર ફેરવવાથી લોહી બંધ થાય છે. </ch3> <ch4> પેશાબ ઓછો થતો હોય કે બંધ થયો હોય તો તાજી છાશમાં ગોળ નાંખીને પીવાથી પેશાબની અટકાયત મટે છે. અર્ધા તોલા લીંબુના બીજનું ચુર્ણ કરી પાણી સાથે પીવાથી તરત પેશાબ છૂટે છે. પેશાબની બળતરા તથા અટકાયત થતી હોય તો ગરમ કરેલાં દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવાથી </ch4> <ch5> ગરમા ગરમ રેતી અથવા રેતીનો શેક કરવાથી શરદી મટે છે. ગરમા ગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે.સુંઠ, કાળા મરી અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે. </ch5> <ch6> કળથીની રાખ બનાવી તેમાં ગોળ નાખી પીવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે. રોજ સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે. </ch6> <ch7> બે ચમચી ચાસણીમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર સાંજ પાણી પીવાથી બ્લડ પ્રેસર ઓછું થાય છે. એલચીના દાણા અને પીપરીમૂળ સરખેભાગે લઈ ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે. </ch7> <ch8> કડવા લીમડાના પાન બાફીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા ઉપર બાંધવાથી સોજો ઉતરે છે. લવીંગ વાટી તેનો લેપ સોજા પર ચોપડવાથી સોજો ઉતરે છે. શઈ અને સંચળ વાટી લેપ કરવાથી મૂઢમારતો સોજો ઉતરે છે. </ch8> <ch9> લવીંગને મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળીને પીવાથી ઉધરસ મટે છે. </ch9> <ch10> વાળ ખરે તો દીવેલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી ફાયદો થાય છે. આમળા, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખેભાગે લઈ વાટીને પાવડર બનાવી રોજ સવાર સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે. ખાંડ અને લીંબુનો રસ બંને ભેગા કરી માથુ ધોવાથી ખોડો અને જૂ મટે છે. </ch10> <ch11> બ્રાહ્મીવટી : મગજના જ્ઞાનતંતુઓ પર ચિંતા, કામનો બોજો ભણવાનો બોજો, ડીપ્રેશન બાળક, વકીલ, જજ, ડો, વૃધ્ધ, માંદગી પછીની નબળાઈ વખતે સાદી બ્રાહ્મીવટી તેમજ સુવણેયુકત બાહ્મીવટી. </ch11> </chapter>
var
This content, along with any associated source code and files, is licensed under The Code Project Open License (CPOL)